PM Svanidhi Yojana 2024: મિત્રો, આજે આપણે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના વિશે ચર્ચા કરીશું, જેમાં પીએમ સ્વંનિધિ સરકારી યોજનામાં અરજી કેવી રીતે કરવી, લોન ની રકમ કેવી રીતે મેળવવી, કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને પીએમ સ્વ નિધિ પોર્ટલ ની સંપૂર્ણ વિગત આ બ્લોગથી મેળવીશું.મિત્રો, આ યોજના અંતર્ગત સરકાર દ્વારા નાના અથવા મોટા ધંધાર્થીઓને રુપિયા ૫૦૦૦૦ ની લોન આપવામાં આવે છે. જેથી તેઓ આત્મનિર્ભર બને અને પોતાનો ધંધો શરૂ કરી શકે.આ યોજનાની શરુઆત ૧ જુન ૨૦૨૦ ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના નુ બીજું નામ પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ તરીકે પણ ઓળખાય છે.
PM Svanidhi Yojana Loan Yojana
આર્ટિકલનું નામ | PM Svanidhi Yojana Loan Yojana |
મુખ્ય ઉદ્દેશ્ય | સ્વાનિધિ યોજના દ્વારા નાના વેપારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો કરવો. |
લોનની રકમ | ₹10,000 થી ₹50,000 સુધીની લોનની રકમ |
સમય મર્યાદા | 1 વર્ષ |
સત્તાવાર વેબસાઇટ | https://pmsvanidhi.mohua.gov.in/ |
PM સ્વનિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ?
પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનાનો ધ્યેય નાણાકીય સહાય દ્વારા નાના ઉદ્યોગો અને ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવાનો, આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો અને રોજગારીની તકો વધારવાનો છે. આ પહેલ નાના વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકોને નવા પ્રોજેક્ટ્સ માટે ભંડોળ સુરક્ષિત કરવામાં અને તેમની કામગીરીને વિસ્તૃત કરવામાં મદદ કરવા માટે લોન અને સમર્થન આપે છે. ભારત સરકારે નાના ઉદ્યોગોના વિકાસને વેગ આપવા માટે પીએમ સ્વાનિધિ યોજના શરૂ કરી.
PM સ્વનિધિ યોજનાના મુખ્ય લાભો
- ભારતના કુલ ૫૦ લાખ કરતાઅ વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે.
- આ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂ. ૧૦ હજાર થી લઈને ૫૦ હજાર સુધીની ધંધા અર્થે લોન આપવામાં આવશે.
- જો તમે પીએમ સ્વનિધિ યોજના નો હપ્તો દર મહિને ચુકવશો તો તમને તમારી લોનના ૭ ટકા સબસિડી મળશે.
- એક મોટો ફાયદો કે તમે જો આ લોન ની રકમ ભરી નહી શકો તો તમને કોઈપણ પ્રકારનુ વ્યાજ કે સજા થશે નહીં.
- તમારે આ લોન લેવા માટે કોઈ પણ પ્રકારના કોલેટરલ સિક્યુરિટી કે બોન્ડ આપવા પડતા નથી.
PM Svanidhi Yojana 2024 ની પાત્રતા
- તમે ભારતના નાગરિક હોવા જોઈએ
- આ યોજનાનો લાભર્થી સ્ટ્રીટ વેન્ડર એક્ટ ૨૦૧૪ ના આધાર પર નક્કી થાય છે જેમાં શાકભાજી લારી, વાળંદ, સુથાર, મોચી, ધોબી જેવા અલગ અલગ ધંધાર્થીઓનો સમાવેશ થાય છે.
- આ યોજનામાં કોઇપણ પ્રકારની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
- તમારે વેન્ડિગ નું પ્રમાણપત્ર રજુ કરવું જરૂરી છે.
- ભારત સરકારે આ યોજના અંતર્ગત રુ . ૫ હજાર કરોડ બજેટમાં ફાળવ્યા છે.
પીએમ સ્વનિધિ યોજનામાં ધિરાણ ક્યાંથી મેળવી શકાશે
- ગ્રામિણ બેંકો
- સહકારી બેંકો
- માઇક્રો ફાઈનાન્સ કંપનીઓ
- સ્વસહાય જુથો (SHG) બેન્કો
PM સ્વનિધી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- ડોમેસાઈલ સર્ટીફિકેટ
- આવકનો દાખલો
- બેન્ક ખાતાની વિગત
- બી.પી.એલ કાર્ડ
- મોબાઈલ નંબર
- વેન્ડર અંગેનું પ્રમાણપત્ર
Pm Svanidhi Loan Apply Online । પીએમ સ્વનિધિ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ pm svanidhi yojana ની ઓફીસીયલ વેબસાઈટ પર જાઓ
- ત્યાં તમારે “Login” બટન પર ક્લિક કરી મોબાઈલ નંબર નાખી “Request OTP” બટન પર ક્લિક કરો.
- ખાસ નોધ :- તમારુ આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક હોવા જરુરી છે.
- હવે તમારા મોબાઈલ માં આવેલ “OTP” નાખી ને લોગીન કરો.
- તમારી લોન મુજબ પાત્રતા છે કે નહીં તે ચકાસવું મહત્વનું છે.
- હવે તમારી સામે “Planning to Apply for Loan” નુ પેજ ખુલશે જેમાં આપેલ માહિતી તમારે વાંચી જવી.
- હવે ત્યા તમને પ્રથમ સ્ટેપ નીચે “View/ Download Form ” ઓપશન દેખાશે.
- જેના પર ક્લિક કરી PM Svanidhi Yojana Form તમારે ડાઉનલોડ કરવાનું રહેશે.
- અથવા આ યોજનાનુ ફોર્મ તમે આમરી નિચે આપેલ લિંક થી પણ ડાઉનલોડ કરી શક્શો.
- હવે તમારે ફોર્મમાં આપેલ માહીતી ભરી સાથે જરુરી ડોક્યુમેન્ટ જોડી આ યોજના અંતર્ગત ની સંસ્થાઓ કે બેન્કો માં જઈ તમે તમારી અરજી ફોર્મ જમાં કરાવી શકો છો.
PM સ્વનિધિ યોજના અરજી ફોર્મ 2024 ઉપયોગી લિંક
પીએમ સ્વનિધિ પોર્ટલ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |